Sunday 10 January 2010

લકીર..

આ જ દદૅ ને ચોરવા કહયુ હતુ,
વિધાતા કોઇ દુશ્મનને પણ તે ના આપ.

માગું છું હવે વિધાતા તારી પાસે,
તેને સહન કરવાની કોઇ શકિત તો આપ.

આ મનને બદલી આપજે વિધાતા,
ન બદલાય મનને તો પથ્થરનું મુકી આપ.

આ કાનમાં કોઇ બહેરાશ મુકી આપ,
મારી કોઇક શરત ને તો મંજુર કરી આપ.

નથી જીવવી આ હાથ ની લકીર,
વિધાતા સારી લકીર અમારી શરતોએ આપ.
શિલ્પા પ્રજાપતિ....

10 comments:

  1. અંશ (તને ગીત દઉ કે ગુલાબ)10 January 2010 at 20:30

    ખુબ જ સરસ લખ્યું છે.
    ભાગ્ય વિશે એક શેર યાદ આવે છે-
    "વિધિએ લખ્યું લલાટમાં તે સાચું કહેવાય,
    રહો ખુશ નાખુબ ભલે ભાવિ મિથ્યા ના થાય."

    ReplyDelete
  2. સરસ અભિવ્યક્તિ .સુંદર બ્લોગ.
    www.agravatvimal.wordpress.com

    ReplyDelete
  3. આ જ દદૅ ને ચોરવા કહયુ હતુ,
    વિધાતા કોઇ દુશ્મનને પણ તે ના આપ.


    સુંદર રચના શિલ્પાબેન

    ReplyDelete
  4. નથી જીવવી આ હાથ ની લકીર,
    વિધાતા સારી લકીર અમારી શરતોએ આપ.


    વાહ ! કેવી ખુમરી ભરેલી પંક્તિઓ !

    લકિર લખનાર વિધાતા તે જ પ્રમાણે જીવન જીવવા મજબુર ક્યાં કરે છે ! પરંતુ જીવન આપણને આપણી શરતોએ જીવતા જ ક્યાં આવડે છે !

    એક વાર મેં પણ કંઈક આવું જ લખેલું ...

    એ તો મારી શ્રદ્ધા જ છે ઓ પ્રિયતમ ! બાકી માનનારા તને પથ્થર ક્યાં નથી માનતા ?

    ReplyDelete
  5. Silpaben, Tame lakhta raho...aa rachna ati suMdara sathe nava aasavadi vichaaro pan raju thayela chhe

    ReplyDelete
  6. સરસ રચના છે અશોક્

    ReplyDelete
  7. "સારી લકીર અને એ પણ અમારી શરતોએ" વાહ ભૈ વાહ......માંગવામાં પણ ખુમારી જોઈએ....

    ReplyDelete
  8. aa mane badali ne aapje,
    na badlaay man to payhar nu aap..
    hummm,sundar rachana...kaash aam thai shakt ne ?

    ReplyDelete
  9. vah... nice one...

    "AAPSE VIDHATA BADHU TAMANE KARIYE DUA AME
    KYAAREY BHULI NA JATA AMANE VINAVIYE AME"

    ReplyDelete