Thursday 5 March 2009

(43) સવારનેસાંજ કેમ થાય છે?

જીવન છે,પણ જીવાતું નથી,
મરવું છે, પણ શકય નથી.
જવાબદારીથી બંઘાયેલા એવા,
વ્યાથાઓ સાથે કેમ ચાલે છે?
રોજ સવારનેસાંજ કેમ થાય છે?
સમય થંભીને શીદને ઊભો છે.
વિઘાતા પાસે પહોચેજો સમાચાર,
તો નવું ભાગ્ય ફરી લખી આપ!
મારા લેખમાં તે મેખ કેમ મુકી?
શિલ્પા પ્રજાપતિ...

4 comments:

  1. તો નવું ભાગ્ય ફરી લખી આપ!
    મારા લેખમાં તે મેખ કેમ મુકી?
    sarash pakati lakhi che

    ReplyDelete
  2. સુંદર રચનાં !

    પ્રશ્ન એ જ છે કે આપણા જીવનનું મૂલ્ય આપણે કેટલું આંકીએ છિયે ? આપણે પસંદ શું કરીએ છીએ ? અવાવરુ બંધિયાર સુક્કા કૂવાની ભેંકારતા કે નાચતા કૂદતા રમતા ઝરણાની જીવંતતા ? અને છતાં આ ઝરણાની ચંચળતામાં કેટલું ગાંભીર્ય છુપાયેલું હોય તે કોણ કહી શકે ?

    ઓ પિયતમ ! જીવનની સાંજ ઢળે ત્યારે હું સત્કર્મનાં તારાઓ ઝબુકતા જોઉં. ચન્દ્ર રૂપી ઋદય તારાં જ નામની ચાંદની રેલાવે. જીવનરજનીનાં ગાઢ અંધકારમાં મારી ઋદયવિણાં તારાં જ નામનો ઝંકાર કરે. ને જ્યારે તારાં દર્શન રૂપી પ્રભાતનું પ્રાગટ્ય થાય ત્યારે ઓ પ્રભુ! મારું કોઇ જ અસ્તિત્વ બાકી ન રહો.

    ReplyDelete
  3. and well said pareshbhai :)

    ReplyDelete